મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત


SHARE













હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત

હળવદના મિયાણી ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા માટે થઈને ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ વર્ષની માસુમ દિકરી અને તેના પિતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પત્નીએ જાણ કરતા હળવદ પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં આવેલ રાજુભાઈ લોરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા (41) તથા તેની દીકરી ક્રિષ્નાબેન સંજયભાઈ રાઠવા (3) બંને વાડીની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયા હતા અને કોઈ કારણોસર તળાવના પાણીમાં બંને ડૂબી જતા પિતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક સંજયભાઈના પત્ની લીલાબેન સંજયભાઈ રાઠવા (32) રહે. હાલ મિયાણી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (73) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં હાર્ટએટેક આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News