મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત


SHARE













હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત

હળવદના મિયાણી ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા માટે થઈને ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ વર્ષની માસુમ દિકરી અને તેના પિતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પત્નીએ જાણ કરતા હળવદ પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં આવેલ રાજુભાઈ લોરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા (41) તથા તેની દીકરી ક્રિષ્નાબેન સંજયભાઈ રાઠવા (3) બંને વાડીની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયા હતા અને કોઈ કારણોસર તળાવના પાણીમાં બંને ડૂબી જતા પિતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક સંજયભાઈના પત્ની લીલાબેન સંજયભાઈ રાઠવા (32) રહે. હાલ મિયાણી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (73) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં હાર્ટએટેક આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News