કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત


SHARE











હળવદના મિયાણી ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત

હળવદના મિયાણી ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા માટે થઈને ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ વર્ષની માસુમ દિકરી અને તેના પિતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પત્નીએ જાણ કરતા હળવદ પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં આવેલ રાજુભાઈ લોરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા (41) તથા તેની દીકરી ક્રિષ્નાબેન સંજયભાઈ રાઠવા (3) બંને વાડીની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયા હતા અને કોઈ કારણોસર તળાવના પાણીમાં બંને ડૂબી જતા પિતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક સંજયભાઈના પત્ની લીલાબેન સંજયભાઈ રાઠવા (32) રહે. હાલ મિયાણી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (73) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં હાર્ટએટેક આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News