મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

જય શ્રીરામ: મોરબીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો


SHARE













જય શ્રીરામ: મોરબીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન જય અંબે ગરબી મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે પણ દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે રામ રાવણનું યુદ્ધ સહિતના કાર્યક્રમો જોવા માટે થઈને મોટી સંખ્યામાં મોરબીના લોકો ત્યાં ઉમટી પડ્યા હતા.

વિજયા દશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી અને રાવણ દહનના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો જોડાયા હતા મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટી પાછળ આવેલ સન ફ્લોરા સામે ખુલ્લા ખેતરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા સતત ચોથા વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં રાવણ દહન કરતાં પહેલા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં માત્ર રાવણ જ નહીં પણ તેની સાથે કુંભકરણ અને મેઘનાથનું પણ દહન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 51 ફૂટ ઊંચા રાવણના પુતળાની સાથે 31 ફૂટના કુંભકર્ણ અને 31 ફૂટના મેઘનાથના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. ત્યારે જયશ્રી રામ ના નારાથી મોરબી ગુંજી ઉઠ્યું હતું.






Latest News