મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા


SHARE













મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મચ્છુ-3 ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને આ ડેમ પણ આખો ભરેલ હોય પાણીને નદીમાં છોડવા માટે હાલમાં બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જેથી મચ્છુ 3 ડેમમાં તે પાણી આવી રહ્યું છે અને ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 6573 કયુસેક પાણીની આવક સામે જાવક કરવામાં આવી રહી છે. અને ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું તે પહેલા મોરબી અને માળીયા તાલુકાનાં 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને જે ગામોને એલર્ટ કરવામાં આવેલ છે તેમાં મોરબી તાલુકાના નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) , ગુંગણ, ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર ગામનો સમાવેશ થાય છે.






Latest News