મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ગરબીઓમાં લ્હાણી વિતરણ


SHARE













લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ગરબીઓમાં લ્હાણી વિતરણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં માતાજીની નવ-નવ દિવસ સુધી ચાચર ચોકમાં આરાધના કરતી અને ગરબે ઘુમતી બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ હરખજીભાઈ સુવારિયા મુખ્ય દાતા અને પુર્વ ખજાનચી મણીલાલ કાવર સહદાતા તરફથી ૭૦૦ બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.

આ સેવાકાર્યમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જય માતાજી ગરબી મંડળ લીલાપર રોડ, કષ્ટભંજન હનુમાનજી મંદિર ગરબી મંડળ રણછોડનગર નવલખી રોડ, કિશન પાર્ક ૧-૨-૩ અને નિત્યાનંદ ઉમિયા ગરબી મંડળ, જય અંબે ગરબી મંડળ રાજપર(કુ.), સતનામ ગરબી મંડળ સતનામનગર સોસાયટી ન્યુ ચંદ્રેશનગર, શીતળા માતાજી ગરબી મંડળ માળિયા (મિ.) જેવી ગરબી મંડળની બાળાઓને હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરે અને તેઓને પ્રોત્સાહન મળે તે માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મુખ્ય દાતાશ્રી હરખજીભાઈ સુવારિયાના હસ્તે લ્હાણી આપવામાં આવી હતી.તેમજ સહદાતા મણીલાલ કાવર, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ પાસ્ટ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી, ચંદુભાઈ કુંડારિયા પુર્વ પ્રમુખો ત્રિભોવનભાઈ ફુલતરિયા, ભીખાભાઈ લોરિયા તેમજ લાયન સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, નાનજીભાઈ મોરડીયા, ચેતનભાઈ રાબડીયા, બાલુભાઈ પાંચોટીયા, કિશોરભાઈ ધોરિયાણી, રશ્મિકાબેન રૂપાલા, ઉમેશભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં અલગ અલગ ગરબી મંડળની બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય તેવી જય શીતળા માતાજી ગરબી મંડળમાં માળિયા (મિ) ના પીઆઈ કુલદિપસિંહ દરબાર અને તેમના સ્ટાફે હાજરી આપી હતી.તેમ સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા અને પુર્વ પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News