મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં આવેલ શ્રીહરિ એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં શ્રીહરિ એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં રહેતા અખિલેશ ચંદ્રબલી યાદવ (22) નામના યુવાને કોઈપણ કારણોસર પોતાની ઓરડીની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કિરણભાઈ પાટડીયા (45) રહે. લુણસર ગામ તાલુકો વાંકાનેર વાળાવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા નીમાબેન વિશાલભાઈ થાવરા (25) નામની મહિલાએ કોઈપણ કારણોસર દવા પી લેતા તે બેભાન થઈ ગયા છે જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

જોડિયા તાલુકાના દુધઈ ગામે રહેતા હરિબેન જેઠાભાઈ ખીટ (50) નામના મહિલા ગામમાંથી બાઇકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 




Latest News