મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું


SHARE













હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું

હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે મનોમન લાગી આવતા યુવાને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં રાયસંગપર ગામે નારણભાઈ શંકરભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સબીરભાઈ ઉર્ફે સમીર દૂરસિંભાઈ નાયક (27) નામના યુવાને ગત તા. 16/9/25 ના રોજ નાગરભાઈ પોપટભાઈની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન ગઈકાલે તા. 3/10/25 ના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની જારલીબેન સબીરભાઈ નાયક રહે હાલ રાયસંગપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેની અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અલ્તાફ કાસમભાઇ (39) નામના યુવાનને ગાંધી ચોક પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી 




Latest News