તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી


SHARE











હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી

હળવદ ભાજપના મહિલા અગ્રણીના પતિએ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી માલગાડીની આડે પડતું મૂક્યું હતું અને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા ભાજપના મહિલા આગેવાન જશુબેન પટેલના પતિ શાંતિલાલ નરસીભાઈ પટેલ (58)એ કોઈપણ કારણોસર જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર માલગાડીની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની જાણ થતા ભાજપના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમજ મૃતક શાંતિભાઈ પટેલ દ્વારા ક્યા કારણોસર આપઘાત કરવામાં આવેલ છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News