મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા અનુ. જાતિના તેજસ્વી  વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો તેની સાથે નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને પારીવારીક સંગઠનાત્મક સ્નેહમિલન યોજાયો હતો.

મોરબી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા, કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બંધારણના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરજીના ભવ્યાતિભવ્ય  દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશનના આયામોને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજને બાબા સાહેબના ભગીરથ પ્રયત્નોમાથી શીખ લેવા અનુરોધ કર્યો હતો.

આ તકે ૧૫૦ વિધાર્થીઓ, દાતાઓ અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેશર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ અતિથીઓ, પ્રેસ મીડિયા સર્વને પ્રભાવિત કરેલ હતા અને ડો. સુનિલ જાદવનું પ્રેરણાત્મક ઉદબોધન નવી પેઢીના નિર્માણ માટે અનન્ય સંદેશ બન્યો તે હકીકત છે કાર્યક્રમનું સંચાલણ ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કર્યું હતું આ રચનાત્મક કાર્યક્રમની જ્વલંત  સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લાના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News