મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા અનુ. જાતિના તેજસ્વી  વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો તેની સાથે નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને પારીવારીક સંગઠનાત્મક સ્નેહમિલન યોજાયો હતો.

મોરબી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા, કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બંધારણના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરજીના ભવ્યાતિભવ્ય  દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશનના આયામોને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજને બાબા સાહેબના ભગીરથ પ્રયત્નોમાથી શીખ લેવા અનુરોધ કર્યો હતો.

આ તકે ૧૫૦ વિધાર્થીઓ, દાતાઓ અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેશર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ અતિથીઓ, પ્રેસ મીડિયા સર્વને પ્રભાવિત કરેલ હતા અને ડો. સુનિલ જાદવનું પ્રેરણાત્મક ઉદબોધન નવી પેઢીના નિર્માણ માટે અનન્ય સંદેશ બન્યો તે હકીકત છે કાર્યક્રમનું સંચાલણ ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કર્યું હતું આ રચનાત્મક કાર્યક્રમની જ્વલંત  સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લાના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News