મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા અનુ. જાતિના તેજસ્વી  વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો તેની સાથે નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને પારીવારીક સંગઠનાત્મક સ્નેહમિલન યોજાયો હતો.

મોરબી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા, કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બંધારણના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરજીના ભવ્યાતિભવ્ય  દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશનના આયામોને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજને બાબા સાહેબના ભગીરથ પ્રયત્નોમાથી શીખ લેવા અનુરોધ કર્યો હતો.

આ તકે ૧૫૦ વિધાર્થીઓ, દાતાઓ અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેશર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ અતિથીઓ, પ્રેસ મીડિયા સર્વને પ્રભાવિત કરેલ હતા અને ડો. સુનિલ જાદવનું પ્રેરણાત્મક ઉદબોધન નવી પેઢીના નિર્માણ માટે અનન્ય સંદેશ બન્યો તે હકીકત છે કાર્યક્રમનું સંચાલણ ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કર્યું હતું આ રચનાત્મક કાર્યક્રમની જ્વલંત  સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લાના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News