મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ: સરપંચની ચીમકી


SHARE













મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ: સરપંચની ચીમકી


મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેને રોકવા માટે ગામના યુવા સરપંચ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ખનીજ ચોરી બંધ કરાવવાની માંગ કરી છે જો કે, ખનીજ ચોરી બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની સરપંચે ચીમકી ઉચ્ચારી છે.

 

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને આજે ગામના સરપંચ ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને તેઓના ગામની સીમમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને ગેરકાયદે જે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેને બંધ કરવામાં આવે તેવી માંગ તેઓના દ્વારા કરવામાં આવી છે અને વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, દોઢેક વર્ષ પહેલા તેઓએ ખનીજ ચોરી ચાલી રહી હતી ત્યારે રજૂઆત કરી હતી જેથી કરીને ખનીજ ચોરી બંધ હતું જો કે, હાલમાં ઉંદરડી માતાજીનાં મંદિર નજીકથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી તેને બંધ કરાવવાની રજૂઆત કરી છે અને જો અરજીને ધ્યાને લઈને ખનીજ ચોરીને બંધ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ખનીજ ચોરી કરવામાં આવતી હશે ત્યાં ગામના લોકોને સાથે રાખીને મીડિયાની હાજરીમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News