મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

તસ્કરો બેખોફ: માળીયા (મી)ના વેજલપર ગામે ત્રણ મકાન-બે મંદિરમાં ચોરી


SHARE













તસ્કરો બેખોફ: માળીયા (મી)ના વેજલપર ગામે ત્રણ મકાન-બે મંદિરમાં ચોરી

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્રણ મકાન તથા બે મંદિરને નિશાન બનાવ્યા છે તેમજ એક બાઈકની ચોરી કરવામાં આવી છે તેવી માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

સામાન્ય રીતે તહેવારો નજીક આવે ત્યારે ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે તેવામા માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને હાલમાં ગ્રામજનો પાસેથી મળી રહેલ માહિતી મુજબ કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા, વિનુભાઈ વીડજા તથા ચંદુલાલ કૈલાના રહેણાંક મકાનને નિશાન બનાવીને નાની મોટી રકમની ચોરી કરવામાં આવી છે તેમજ ગામમાં આવેલ હનુમાનજી મંદિર તથા રામદેવપીરના મંદિરમાંથી તસ્કરે ચોરી કરી છે અને ગામમાંથી એક બાઈકની પણ ચોરી કરેલ છે તેવી માહિતી ગ્રામજનો પાસેથી જાણવા મળેલ છે. અને જુદીજુદી જગ્યાએથી કુલ મળીને એકાદ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ચર્ચા વેજલપર ગામમાં ચાલી રહી છે આ ચોરીના બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News