મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દિવાળીના પર્વએ સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો બન્યો સબળ માધ્યમ


SHARE







મોરબીમાં દિવાળીના પર્વએ સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો બન્યો સબળ માધ્યમ

વિકાસ સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ૬૦ જેટલા સ્ટોલ સાથે સખી મંડળની બહેનો અને પીએમ સ્વનિધિના લાભાર્થીઓ સહિત સ્થાનિક કારીગરો માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અનેક સ્થાનિક લોકો વિનામૂલ્યે સ્ટોલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે, સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહે તેમજ હસ્તકલા અને ઘર બનાવટની વસ્તુઓને વિશાળ બજાર મળી રહે તે માટે સ્વદેશી મેળા યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૮ ઓક્ટોબર સુધી સ્વદેશી મેળાનું આયોજન  એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સ્વરોજગારી અને સ્વદેશી વસ્તુઓના વેચાણ તથા ખરીદીને પ્રોત્સાહન પૂરું પાડવા આ સ્વદેશી મેળા સબળ માધ્યમ સાબિત થઈ રહ્યા છે અને મોરબી મહાનગરપાલિકા અને સરકાર દ્વારા આયોજિત આ મેળો બહેનોને રોજગારી પૂરી પાડે છે. અને તેઓની હાથ બનાવટની વસ્તુઓ વેચવા માટેનું મધ્યમ બનેલ છે

 

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૭ ઓક્ટોબરે યોજાશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને તા. ૧૭/૧૦ ના રોજ સવારના ૧0:3૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News