મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે


SHARE







માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે

માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. અને કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના આમીન ભટ્ટી અને ઈકબાલભાઈએ જણાવ્યુ હતું કે, માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. જો આવું કરવામાં આવે તો માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ઉલેખનીય છે કે, માળિયા (મિયાણા) બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે વિસરાઈ જશે અને માળીયાના વિભાજનથી બે તાલુકા બનાવવામાં આવે તો માળીયાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં બનાવેલ છે. તે અંદાજે ૩.૨૨ કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. આટલું જ નહીં કજરડા, હરીપર, ખીરઈ, ચીખલી, નવાગામ, રસંગપર વગેરે ગામોએ ગ્રામ સભામાં કોઈ ઠરાવ પસાર કર્યો નથી, છતાં તેમને આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા છે ! જેથી કરીને આ નિર્ણયના વિરોધમાં તા 13 ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં માળિયા (મિયાણા) ના 46 ગામોના લોકો હાજર રહેશે. અને જે આવેદન પત્ર આપવામાં આવશે તેની મુખ્ય માંગણી માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરવાનો પ્રસ્તાવ તાત્કાલિક રદ કરો, માળિયા (મી.) ને મૂળ તાલુકા મુખ્ય મથક તરીકે જાળવો, 3.22 કરોડના જાહેર રોકાણનું રક્ષણ કરો, ગ્રામ સભાઓ સાથે પારદર્શી ચર્ચા કરો વિગેરે માંગ કરવામાં આવશે.






Latest News