સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે


SHARE



























માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે

માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. અને કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના આમીન ભટ્ટી અને ઈકબાલભાઈએ જણાવ્યુ હતું કે, માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. જો આવું કરવામાં આવે તો માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ઉલેખનીય છે કે, માળિયા (મિયાણા) બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે વિસરાઈ જશે અને માળીયાના વિભાજનથી બે તાલુકા બનાવવામાં આવે તો માળીયાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં બનાવેલ છે. તે અંદાજે ૩.૨૨ કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. આટલું જ નહીં કજરડા, હરીપર, ખીરઈ, ચીખલી, નવાગામ, રસંગપર વગેરે ગામોએ ગ્રામ સભામાં કોઈ ઠરાવ પસાર કર્યો નથી, છતાં તેમને આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા છે ! જેથી કરીને આ નિર્ણયના વિરોધમાં તા 13 ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં માળિયા (મિયાણા) ના 46 ગામોના લોકો હાજર રહેશે. અને જે આવેદન પત્ર આપવામાં આવશે તેની મુખ્ય માંગણી માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરવાનો પ્રસ્તાવ તાત્કાલિક રદ કરો, માળિયા (મી.) ને મૂળ તાલુકા મુખ્ય મથક તરીકે જાળવો, 3.22 કરોડના જાહેર રોકાણનું રક્ષણ કરો, ગ્રામ સભાઓ સાથે પારદર્શી ચર્ચા કરો વિગેરે માંગ કરવામાં આવશે.


















Latest News