મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી નગરપાલીકા સમયે હેરીટેજ પ્રોપર્ટી એવા ટાઉનહોલની કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું અને તે કામમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હતો જેથી આજની તારીખે છેલ્લા ઘણા સમયથી ટાઊનહોલ બંધ હાલતમાં પડ્યો છે. તેઓ આક્ષેપ શહેર કોંગ્રેસનાં પ્રમુખે કર્યો છે.

મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, રજવાડાના સમયમાં બનેલ મોરબી નગરપાલીકા હતી ત્યારથી તેના હસ્તક્નો હેરીટેજ પ્રોપર્ટી કહી શકાય તેવો ટાઉનહોલ આજની તારીખે ખંઢેર બની ગયેલ છે. આ ટાઉન હોલમાં અગાઉ નાટક, વિધાર્થી સન્માન સમારંભ, સામાજીક કાર્યક્રમો થતાં હતા જો કે, પાલિકાના ભ્રષ્ટાચારી સતાધીશોના પાપે આજે આ હેરીટેજ ટાઉન હૉલ બંધ હાલતમાં છે. અને ત્યાં ભંગાર રાખીને તેનો ગોડાઉનની જેમ ઉપયોગ કરવામાં આવે છે. જો આ ટાઉન હોલના રિનોવેશન કામની હજુ પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણાં નેતાઓનાં તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે સવાલ એ ઊઠે છે જો કે, મહાપાલિકાના કમિશ્નર આ કૌભાંડની તપાસ કરશે કે પછી ભૂતકાળમાં નંદિધર, ૪૫-ડી, કે પછી આવાસ યોજના, ખરાબ સીમેન્ટની થેલીમાં થયેલ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલાય ગયું તેવું થઈ જશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News