મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર ગામની શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ


SHARE

























હળવદના જુના અમરાપર ગામની શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ

હળવદના જૂના અમરાપર ગામે ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા અને વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી જુના અમરાપર ગામની શાળાના પટાંગણમાં દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય "રંગોળી સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને શાળાનું મેદાન વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ અને રંગોના સુભગ સમન્વયથી જીવંત બની ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ પરંપરાગત, સામાજિક સંદેશા આધારિત અને આધુનિક એમ વિવિધ પ્રકારની મનમોહક રંગોળીઓ બનાવી પોતાની આગવી કલાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈએ જણાવ્યું હતું કે, "રંગોળી એ માત્ર કલા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે. તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને કલા ખરેખર પ્રશંસનીય છે." સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષકગણ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News