મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ: જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા પણ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE













મોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ: જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા પણ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા જલારામ મંદિર ખાતે દીપાવલીના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિતરણ તા.૧૭ થી ૧૯ ઓકટોમ્બર વચ્ચે કરવામાં આવશે એટ્લે કે શુક્રવાર, શનીવાર તેમજ રવિવાર સુધી વિતરણ ચાલુ રહેશે. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ તેમજ ફરસાણ મળશે અને તેના માટે કોઈપણ પ્રકારના એડવાન્સ બુકીંગ કે નામ નોંધાવવાની જરૂર નથી. અને વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

જૈનમ ગૃહ ઉદ્યોગ
મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું  છે અને બરફી, થાબડી, મોહનથાળ, કાજુ કતરી, ટોપરા પાક, મિક્ષ મીઠાઈ, તેમજ ફરસાણમાં ચકરી, ચવાણું, સકરપારા, ફરસી પૂરી, નાયલોન ચેવડો અને બટર ભાખરવડીનુ વિતરણ કરવામાં આવશે તેના માટે સંસ્થા દ્વારા બુકિંગ લેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જીનેશભાઈ, પારસભાઈ, ગૌતમભાઈ અને વી.કે. મહેતા દ્વારા તેઓની ટીમને સાથે રાખીને મીઠાઇ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે.




Latest News