મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે ભાઈબીજના દિવસે નાટકનું આયોજન: મોરબીના સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો


SHARE











ટંકારાના સજનપર ગામે ભાઈબીજના દિવસે નાટકનું આયોજન: મોરબીના સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો

ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૨૩/૧૦ ને ગુરુવાર (ભાઈબીજ) ના દિવસે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મહાન ઐતિહાસિક નાટક જેસલ તોરલ અને હાસ્ય રસિક કોમિક ગાંડિયાની ગાંડાઈ રજૂ કરવામાં આવશે અને રાત્રે ૯:૩૦ કલાકે આ નાટક શરૂ કરવામાં આવશે જેથી કરીને ધર્મ પ્રેમી, ગૌ પ્રેમી સહિતના તમામ લોકોને નાટક જોવા આવવા માટે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.

શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો
શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૧૫ ને બુધવારના રોજ શનાળા ગામે લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ કલાકે ઉમિયાનગર શકત શનાળા ખાતે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગુજજર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક મહોત્સવનો સહુકોઈએ લાભ લીધો હતો.






Latest News