મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે ભાઈબીજના દિવસે નાટકનું આયોજન: મોરબીના સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો


SHARE



























ટંકારાના સજનપર ગામે ભાઈબીજના દિવસે નાટકનું આયોજન: મોરબીના સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો

ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૨૩/૧૦ ને ગુરુવાર (ભાઈબીજ) ના દિવસે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મહાન ઐતિહાસિક નાટક જેસલ તોરલ અને હાસ્ય રસિક કોમિક ગાંડિયાની ગાંડાઈ રજૂ કરવામાં આવશે અને રાત્રે ૯:૩૦ કલાકે આ નાટક શરૂ કરવામાં આવશે જેથી કરીને ધર્મ પ્રેમી, ગૌ પ્રેમી સહિતના તમામ લોકોને નાટક જોવા આવવા માટે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.

શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો
શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૧૫ ને બુધવારના રોજ શનાળા ગામે લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ કલાકે ઉમિયાનગર શકત શનાળા ખાતે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગુજજર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક મહોત્સવનો સહુકોઈએ લાભ લીધો હતો.






Latest News