મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.!


SHARE











મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.!

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાો વહેલી સવારે કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હોય તેને શોધવા માટે તે સંસ્થાના સંચાલક દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને સગીરાઓનો કોઇ જગ્યાએથી પત્તો ન લાગતાં મોરબી જિલ્લાના પોલીસને જાણ કરવામાં આવી છે જેથી ગણતરીના કલાકોમાં જ સીટી બી ડિવિજન  પોલીસે સગીરાઓને શોધવા માટે કવાયત કરતા ત્રણ પૈકી બે સગીરાઓ તેમના ઘરેથી જ મળી આવી હતી..!


મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી અપ્હત સગીરાઓને અહીંના વિકાસ વિદ્યયાલયમાં રાખવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા સમયગાળામાં મોરબી તાલુકા વિસ્તારમાંથી બે અને ટંકારા તાલુકામાંથી એક સગીરાનું અપહરણ કરવામાં આવેલ હોય તે સગીરાઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરીને સગીરાઓને પોલીસે કબ્જે લીધી હતી. જોકે સગીરાઓએ તે સમયે તેમના વાલીઓ સાથે જવાની ના પાડતા..! તેણીને મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ ઉપરના વિકાસ વિદ્યાલય ખાતે મૂકવામાં આવી હતી અને વહેલી સવારે વિકાસ વિદ્યાલય ખાતેથી ત્રણ સગીરાઓ કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી..! જેથી સંસ્થાના સંસ્થાના સંચાલકો દ્વારા શોધખોળ કવાયત શરૂ કરવામાં આવી હતી અને અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે એવી પણ માહિતી પણ મળી હતી કે સગીરાઓને પોતાના વાલી પાસે જવું હતુ પરંતુ તેના વાલીઓ લઈ જતા ન હોય..! આજે વહેલી સવારે ત્રણ સગીરાઓ કહ્યા વગર વિકાસ વિદ્યાલય ખાતેથી નીકળી ગયેલ.અત્રે નોંધનીય છે કે જ્યારે આ અપહરણના બનાવ બન્યા ત્યારે સગીરાઓ તેઓના પરિવારજનો પાસે જવા માંગતી ન હતી અને બાદમાં પરિવાર પાસે જવા માંગતી હતી ત્યારે પરિવાર તેને સ્વીકારવા માટે તૈયાર ન હતો..! માટે આ કિસ્સો ક્ષણિક આવેગમાં આવીને અજુગતા પગલા ભરી બેસતાં યુવાધન માટે લાલબત્તી સમાન છે કે જો તમે સમાજની રીત રસમોથી પર થઈને કોઈ પગલું ભરશો તો ખુદ તમારો પરિવાર પણ તમને નહીં સ્વીકારે.

છેલ્લે મળેલ માહિતી મુજબ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં ગુમ થયેલી ત્રણ સગીરાઓ પૈકી બે સગીરાઓ તેમના પરિવાર પાસેથી જ મળી આવી હતી જેથી ત્યાંથી તેમનો કબ્જો લઇને પુન: સંસ્થા ખાતે મૂકવામાં આવી હતી જોકે હજુ સુધી ગુમ થયેલી એક સગીરાને ભાળ મળી ન હોય તે દિશામાં પોલીસે આગળની શોધખોળ ચાલુ રાખી છે.તેમ સુત્રો દ્રાર જાણવા મળેલ છે.






Latest News