મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન


SHARE



























મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન

મોરબીના બગથળા નકલંકધામ મંદિરે દર વર્ષે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ધર્મપ્રેમી લોકોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

મોરબીના બગથળા ગામે આવેલ નકલંકધામ મંદિરે નૂતન વર્ષના દિવસે લોકો પૂજન અર્ચન માટે આવતા હોય છે. ત્યારે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે બગથળાના નંકલંક મંદિરે તા. 22 ને બુધવારે શરૂ થતા નવા વર્ષ નિમિતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ૯ કલાકે આરતી યોજાશે અને ૯:૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ કરી દેવામાં આવશે તેમજ રાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બગથળા તેમજ આસપાસના ગામના લોકોને લાભ લેવા માટે નકલંકધામ મંદિરના મહંત દમજી ભગત અને આયોજકોએ અનુરોધ કરેલ છે.






Latest News