મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકામાં જુદાજુદા 3 અકસ્માતમાં 5 યુવાનોના મોત


SHARE













મોરબી અને માળીયા તાલુકામાં જુદાજુદા 3 અકસ્માતમાં 5 યુવાનોના મોત

મોરબી તાલુકાનાં પીપળીયા અને ઝીંઝુડા તેમજ માળિયા (મી)ના મોટા દહીંસરા અને વર્ષામેડી વચ્ચે અકસ્માતમાં જુદાજુદા ત્રણ બનાવ બનેલ હતા જેમાં કુલ મળીને 5 યુવાનોના મોત નિપજ્યાં છે જેથી આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબી અને માળિયા તાલુકામાં શનિવારે રાત્રીના સમયે જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના ત્રણ બનાવ બનેલ હતા જેમાં કુલ મળીને 5 વ્યક્તિના મોત નિપજ્યાં છે. જેમાં માળિયાના મોટા દહીંસરા અને વર્ષામેડી ગામ વચ્ચે રીક્ષા સાથે બુલેટ અને બાઈક અથડાતા ટ્રીપલ અકસ્માત થયો હતો જે બનાવમાં ઝીંઝુડા ખાતે ઉર્ષમાં જતાં ત્રણ યુવાનના મોત નિપજ્યાં હતા જેમાં સમીર રહેમાન મુસાણી અને ઇમરાનશા સમીરશા શાહમદાર રહે. બંને મકરાણીવાસ મોરબી અને રહીમ અવેશભાઇ સંધવાણી રહે. કાજરડા વાળાને ગંભીર ઇજા થઈ હતી અને આ ત્રણેય યુવાનના મોત થયા હતા જેથી ત્રણેય યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. જયારે મોરબીના ઝીંઝુડા નજીક સોલંકીનગર પાસેથી યુવાન બાઈક લઈને જતા હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ચાલક લિયાકત અસગરભાઈ સેડાત નામના યુવાનનું મોત નીપજયું હતું તેમજ પીપળીયા ચાર રસ્તા પાસેથી હરેશભાઈ લાભુભાઈ ગણેશીયા નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનનું મોત નીપજયું હતું જે બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News