તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવારમાં મોત: ઉમિયા પાર્કમાં ઘરે બીપી ઘટી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીમાં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવારમાં મોત: ઉમિયા પાર્કમાં ઘરે બીપી ઘટી જવાથી યુવાનનું મોત

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન હડફેટે ચડી જવાથી યુવાનને માથામાં અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા જોકે ત્યારબાદ તે યુવાન પાડાપુલ પાસેથી બેભાન હાલતમાં મળી આવતા પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પાડાપુલ નીચેના ભાગમાં રહેતા અમભાઇ ઉર્ફ લોકેશ ઉર્ફે બાહુબલી રામનારાયણ ચતુર્વેદી (29) નામનો યુવાન થોડા દિવસો પહેલા મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ રેલવે ફાટક પાસેથી પસાર થતી ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે અને ઇજા થઈ હતી જેથી પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ ગત તા. 30/9 ના રોજ યુવાન મોરબીના પાડાપુલ પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતા સુભદ્રાબેન રામનારાયણ ચતુર્વેદી (58) રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા વિશાલ હિતેશભાઈ ઝાલા (28) નામના યુવાનને તે પોતાના ઘરે હતો ત્યારે બીપી ઘટી ગયું હતું જેથી તે યુવાન નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News