મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવારમાં મોત: ઉમિયા પાર્કમાં ઘરે બીપી ઘટી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીમાં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવારમાં મોત: ઉમિયા પાર્કમાં ઘરે બીપી ઘટી જવાથી યુવાનનું મોત

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન હડફેટે ચડી જવાથી યુવાનને માથામાં અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા જોકે ત્યારબાદ તે યુવાન પાડાપુલ પાસેથી બેભાન હાલતમાં મળી આવતા પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પાડાપુલ નીચેના ભાગમાં રહેતા અમભાઇ ઉર્ફ લોકેશ ઉર્ફે બાહુબલી રામનારાયણ ચતુર્વેદી (29) નામનો યુવાન થોડા દિવસો પહેલા મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ રેલવે ફાટક પાસેથી પસાર થતી ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે અને ઇજા થઈ હતી જેથી પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ ગત તા. 30/9 ના રોજ યુવાન મોરબીના પાડાપુલ પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતા સુભદ્રાબેન રામનારાયણ ચતુર્વેદી (58) રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા વિશાલ હિતેશભાઈ ઝાલા (28) નામના યુવાનને તે પોતાના ઘરે હતો ત્યારે બીપી ઘટી ગયું હતું જેથી તે યુવાન નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News