ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ-ધોકા સાથે યુવાન ઉપર ચાર શખ્સો તૂટી પડ્યા: જાનથી મારી નાખવાની ધમકી


SHARE

























હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ-ધોકા સાથે યુવાન ઉપર ચાર શખ્સો તૂટી પડ્યા: જાનથી મારી નાખવાની ધમકી

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતો યુવાન આંબેડકર કોમ્પ્લેક્સ પાસે પાનની દુકાન નજીક હતો ત્યારે જૂના ઝઘડાનો ખાર રાખીને રાઠોડ પરિવારના ચાર વ્યક્તિ દ્વારા લાકડાના ધોકા અને પાઈપથી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને મારમારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે.

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ રાઠોડ (19)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ પુંજાભાઇ રાઠોડ, મુકેશભાઈ લવજીભાઈ રાઠોડ, ઉત્તમભાઈ પ્રવીણભાઈ રાઠોડ અને જીતુભાઈ જગાભાઈ રાઠોડ રહે. બધા સરા રોડ આંબેડકર નગર-1 બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદમાં આવેલ આંબેડકર કોમ્પ્લેક્સ સામે વાંસગી પાનના ગલ્લે તે સિગરેટ પીવા માટે ગયો હતો ત્યારે ફરિયાદીના પરિવારને જુનાવાસમાં રહેતા રાઠોડ પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓ લાકડાના ધોકા અને પાઇપ સાથે ફરિયાદી પાસે આવ્યા હતા અને ત્યારે મનસુખભાઈ અને ઉત્તમભાઈએ લોખંડના પાઇપ ડે ફરિયાદીને મારમાર્યો હતો ત્યારે મુકેશભાઇએ લાકડાના ધોકા વડે શરીરને મારમારીને ઈજા કરી હતી તો જીતુભાઈએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા હિંમતભાઈને મનસુખભાઈએ ગાળો આપીને લોખંડના પાઇપ વડે પગમાં મારમારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News