મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન


SHARE



























મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કાલે સવારે બ્રહ્મ પરિવારો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવોને ત્યાં આવવા માટે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ સહિતના હોદેદારોએ આમંત્રણ આપ્યું છે.

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો.બી.કે.લહેરુ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આર.કે ભટ્ટ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ અખબારી યાદીમાં જણાવ્યુ છેકે, તા.22/10 ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ મોરબી ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ મોરબીના લોક લાડીલા ધારાસભ્ય રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સન્માનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા તમામ બ્રહ્મ પરિવારના લોકોને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીના વનાળિયા ગામે નાટક

મોરબીના વનાળીયા ગામે શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢનો ઇતિહાસ રા'નવઘણ તેમજ લોકોને પેટ પકડીને હસાવતું કોમીક નાટક કણી ગાંડીનો જહલો જમાઈ આગામી તા 26/10 ને રવિવારે રાતે 9:00 કલાકે ગામમાં આવેલ રામજી મંદિરના ચોકમાં રજૂ કરવામાં આવશે તેનો લાભ લેવા માટે ગામના તમામ લોકોને શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News