મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર અકસ્માતમાં ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના નવલખી રોડ ઉપર અકસ્માતમાં ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પશુરામ ધામ મંદિર નજીક વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલ યુવાનને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ પરશુરામ ધામ મંદિર પાસે ગઈ તા.૧૮-૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઈજા પામેલ સાહિલ અલારખાભાઈ ટાણા (ઉમર ૩૦) રહે.વનાળીયા તા.જી.મોરબીને બેભાન હાલતમાં ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મારામારીમાં ઈજા
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ પાસે બે લોકો દ્વારા માર મારવામાં આવતા વિકાસ દેવીપુજક (ઉંમર ૨૧) રહે.ઇન્દિરાનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે સામાકાઢે મોરબી-૨ ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.જ્યારે બીજા બનાવમાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતા જયંતીભાઈ બેચરભાઈ જીંજવાડીયાને પાડોશી સાથે માથાકૂટ ઝઘડો થયો હતો.જે બનાવમાં જેન્તીભાઈને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલ હોય હાલ પોલીસે બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.
 
મારામારીમાં ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સેલની કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા જીવન મદનલાલ વર્મા (22) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ફડસર ગામે મહેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા ગુણુભાઈનો ત્રણ વર્ષના દીકરા પિયુષને વીંછી કરડી ગયો હતો જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના બગથળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના 17 વર્ષના દીકરા શંભુ નાનુરામ મેડાને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News