મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા-રામગઢ કોયલી ગામે મારામારીના જુદાજુદા બે બનાવમાં મહિલા સહિત ઇજા પામેલા કુલ 9 લોકો સારવારમાં


SHARE











મોરબીના જાંબુડીયા-રામગઢ કોયલી ગામે મારામારીના જુદાજુદા બે બનાવમાં મહિલા સહિત ઇજા પામેલા કુલ 9 લોકો સારવારમાં

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના રામગઢ કોયલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ મેક્સ ગ્રેનાઈટો સીરામીક કારખાના પાસે યુવાનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર લોકોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જલનભાઈ ચૌહાણ (30) રહે. જાંબુડીયા તેમજ જીતેન્દ્ર વાસુદેવ નિશાદ (21) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતપરા મોરબી, અજય રાજુભાઈ મૌર્ય રહે. શોભેશ્વર મંદિર પાસે મોરબી અને અરવિંદ મૌર્ય રહે. જાંબુડીયા વાળાને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા ચારેય વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબી તાલુકાના રામગઢ કોઇલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમરશીભાઈ દેવશીભાઈ લોહિયા (60) અને કૈલાશ અમરશીભાઈ લોહિયા (27) નામના બે વ્યક્તિઓને ઇજા થઈ હતી જ્યારે સામાપક્ષેથી મારામારીના આ બનાવમાં જયદેવભાઈ વિનોદભાઈ લોહિયા (40) વિનોદભાઈ દેવજીભાઈ લોહિયા (42) અને રમીલાબેન વિનોદભાઈ લોહિયા (30) રહે. બધા રામગઢ વાળાઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સેગા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતા લખન પ્રતાપભાઈ રાવત (22) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા સપનાબેન નવલિયાભાઈ મેડા નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News