મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

દિવાળીના દિવસે યુવાનની હત્યા: વાંકાનેરમાં ઝઘડો પતાવવા ગયેલા યુવાનને પાંચ શખ્સોએ છરીના ઘા મારીને પતાવી દીધો


SHARE











દિવાળીના દિવસે યુવાનની હત્યા: વાંકાનેરમાં ઝઘડો પતાવવા ગયેલા યુવાનને પાંચ શખ્સોએ છરીના ઘા મારીને પતાવી દીધો

દિવાળીના દિવસે વાંકાનેરમાં હત્યાનો બનાવ બનેલ છે અને મિત્ર સાથે થયેલ ઝઘડો પતાવવા માટે ગયેલા યુવાન ઉપર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (20)ના મિત્ર વિપુલ સાથલીયાને અન્ય શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. જેથી કરીને સમાધાન કરીને ઝઘડો પતાવવા માટે ધ્રુવ પોતાના મિત્ર દિપક પરેચા અને વિપુલ સાથલીયા સાથે નવાપરા વિસ્તારમાં વાસુકી દાદાના મંદિર નજીક ગયો હતો ત્યારે ત્યાં આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી, વિશાલ સુરેશભાઈ વિજવાડિયા રહે. ચારેય નવાપરા, વાંકનેર અને કાનો દેગામા રહે. વિશીપરા, વાંકાનેર વાળા ત્યાં હાજર હતા અને સમાધાન માટેની વાતચીત ચાલી રહી હતી તેવામાં પાંચેય શખ્સોએ ધ્રુવ, દિપક અને વિપુલને ઘેરી લીધા હતા અને બેફામ માર માર્યો હતો. અને ત્યારે આરોપીઓએ ધ્રુવ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જેથી ગંભીર ઇજા પામેલા ધ્રુવ કેરવાડીયા લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, ધ્રુવ કેરવાડીયાને જોઈ તપાસીને ફરજ ઉપરના ડોક્ટરે મરુત જાહેર કર્યો હતો અને બનાવ હત્યામાં પલટયો હતો. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પ્રફુલ્લભાઈ કેશુભાઈ કેરવાડીયાએ પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા માટે જુદીજુદી ટીમો બનાવને તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News