મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પાવડીયારી ચોકડી પાસેનો બનાવ: બેફામગતિએ દોડતા ડમ્પર ચાલકે રિક્ષા સહિતના વાહનો ઉડાવ્યા, એકનું મોત: ત્રણથી વધુને ઇજા


SHARE













મોરબીની પાવડીયારી ચોકડી પાસેનો બનાવ: બેફામગતિએ દોડતા ડમ્પર ચાલકે રિક્ષા સહિતના વાહનો ઉડાવ્યા, એકનું મોત: ત્રણથી વધુને ઇજા

મોરબીની પાવડીયારી ચોકડી પાસે બેફામગતિએ ડમ્પર ચલાવનારા વાહન ચાલકે રિક્ષા સહિતના વાહનો હડફેટે લીધા હતા અને અકસ્માત સર્જ્યો હતો આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે એનમે ત્રણ થી ચાર લોકોને ઇજા થતાં તેને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી ચોકડી પાસે જ્યાં રોડની બાજુમાં બજાર ભરતી હોય છે ત્યાં સાંજના સમયે ડમ્પર ચાલકે બેફામગતિએ પોતાનું વાહન લઈને નીકળ્યો હતો અને ત્યારે બજાર પાસે ઊભેલી રીક્ષાને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને લગભગ ત્રણ થી ચાર વ્યક્તિઓને ઇજા થઇ છે જેથી કરીને તેને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના જુદા જુદા માર્ગો ઉપર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે અને ભારે વાહનો બેફામગતિએ દોડતા હોય છે તેમ છતાં પણ આરટીઓ કે પછી પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી જેના કારણે આવી રીતે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ લોકોના જીવ જતા હોય છે તેવી જ રીતે આજે પાવળીયારી ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે અને રીક્ષાનો ભૂક્કો બોલી ગયો છે તેવી માહિતી હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News