ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

મોરબીની પાવડીયારી ચોકડી પાસેનો બનાવ: બેફામગતિએ દોડતા ડમ્પર ચાલકે રિક્ષા સહિતના વાહનો ઉડાવ્યા, એકનું મોત: ત્રણથી વધુને ઇજા


SHARE

























મોરબીની પાવડીયારી ચોકડી પાસેનો બનાવ: બેફામગતિએ દોડતા ડમ્પર ચાલકે રિક્ષા સહિતના વાહનો ઉડાવ્યા, એકનું મોત: ત્રણથી વધુને ઇજા

મોરબીની પાવડીયારી ચોકડી પાસે બેફામગતિએ ડમ્પર ચલાવનારા વાહન ચાલકે રિક્ષા સહિતના વાહનો હડફેટે લીધા હતા અને અકસ્માત સર્જ્યો હતો આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે એનમે ત્રણ થી ચાર લોકોને ઇજા થતાં તેને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી ચોકડી પાસે જ્યાં રોડની બાજુમાં બજાર ભરતી હોય છે ત્યાં સાંજના સમયે ડમ્પર ચાલકે બેફામગતિએ પોતાનું વાહન લઈને નીકળ્યો હતો અને ત્યારે બજાર પાસે ઊભેલી રીક્ષાને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને લગભગ ત્રણ થી ચાર વ્યક્તિઓને ઇજા થઇ છે જેથી કરીને તેને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના જુદા જુદા માર્ગો ઉપર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે અને ભારે વાહનો બેફામગતિએ દોડતા હોય છે તેમ છતાં પણ આરટીઓ કે પછી પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી જેના કારણે આવી રીતે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ લોકોના જીવ જતા હોય છે તેવી જ રીતે આજે પાવળીયારી ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે અને રીક્ષાનો ભૂક્કો બોલી ગયો છે તેવી માહિતી હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News