મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે આજે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ સહિતની બ્રહ્મ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો સહ પરિવાર હાજર રહ્યા હતા અને મંત્રીનું પાઘડી પહેરાવીને, તલવાર આપીને અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આજથી ગુજરાતીઓના નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે જ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ કામ ખાતે ભૂદેવ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ તથા મોરબી પરશુરામ ધામ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની સાથો સાથ મોરબી માળિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓના સન્માનનું પણ આયોજન બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા પાઘડી પહેરાવીને, તલવાર આપીને તેમજ શાલ ઓઢાડીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારે છેલ્લા વર્ષોમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા પરશુરામ ધામ મંદિર તેમજ બ્રહ્મ સમાજ માટે કરેલા કામોને બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા તો રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા કહ્યું હતું કે, 1995 માં પહેલી વખત જ્યારે ચૂંટણી લડ્યો અને ધારાસભ્ય બન્યો ત્યારે બ્રહ્મ સમાજ મારી આગળ ચાલતો હતો, 2022 માં ધારાસભ્ય ન હતો ત્યારે પણ બ્રહ્મ સમાજ મારી આગળ ચાલ્યો હતો આમ ડગલેને પગલે બ્રહ્મ સમાજનો ખૂબ સહકાર મળ્યો છે અને આગામી સમયમાં બ્રહ્મ સમાજ સહિત દરેક સમાજ અને લોક ઉપયોગી કામ ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતમાં તેઓના માધ્યમથી થશે તેવી ખાતરી તેઓ દ્વારા આપવામાં આવી હતી.






Latest News