ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો


SHARE

























મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો

મોરબી નજીકના જોધપર ગામની સીમમાં આવેલ કારખાનેથી કારખાનેદાર તેના પત્ની જઇ રહયા હતા ત્યારે બાજુના કારખાનામાં રહેતા શ્રમિકો સાથે નજીવી વાતમાં બોલાચાલી થઈ હતી ત્યારે બે શ્રમિકોએ દંપતીને ગાળો આપીને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો જેથી ઇજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈએ ગયા હતા અને ત્યાર બાદ કારખાનેદારે બે શ્રમિક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 603 માં રહેતા દિનેશભાઈ ભીખાભાઈ દેકાવાડિયા (57)એ હાલમાં બિંદભાઈ અને અર્જુનભાઈ રહે. બંને હાલ જોધપર નદી ગામની સીમમાં મારુતિ પોલીપેક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તેમના પત્ની મુક્તાબેન સાથે પોતાના કારખાનેથી ઘર તરફ આવી રહ્યા હતા દરમિયાન બાજુના કારકારેમાં રહેતા બિંદુભાઈ કારખાના પાસે ખાટ ઉપર અવ્યવસ્થિત કપડાં પહેરીને બેઠેલ હતા જેથી ફરિયાદીએ તેઓને આ ઠપકો આપ્યો હતો જે બાબતનો રોષ રાખીને બિંદભાઈ અને અર્જુનભાઈએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને માથા, કાન અને જમણા હાથમાં મારમારીને ઈજા તરીકે હતી અને તેઓના પત્ની મુક્તાબેનને હાથમાં ધોકો મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News