મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એક મેકને નવા વર્ષની સહુ કોઈએ શુભેચ્છા પાઠવી હતી.

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાતા હોય છે તેવી જ રીતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને ઉમા ટાઉનશીપ ખાતે આજે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સહુ કોઈએ એકમેકના મો મીઠા કરાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહુ કોઈને મોરબી જિલ્લાના વિકાસ કામોમાં સહયોગ આપવા અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે સારામાં સારા કામ થાય તે માટે સહકાર આપવા જણાવ્યું હતું તેમજ જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ આજે સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હોય તેઓએ પોતાની જૂની યાદોને તેઓની સાથે આજે તાજા કરી હતી






Latest News