ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE

























ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એક મેકને નવા વર્ષની સહુ કોઈએ શુભેચ્છા પાઠવી હતી.

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાતા હોય છે તેવી જ રીતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને ઉમા ટાઉનશીપ ખાતે આજે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સહુ કોઈએ એકમેકના મો મીઠા કરાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહુ કોઈને મોરબી જિલ્લાના વિકાસ કામોમાં સહયોગ આપવા અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે સારામાં સારા કામ થાય તે માટે સહકાર આપવા જણાવ્યું હતું તેમજ જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ આજે સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હોય તેઓએ પોતાની જૂની યાદોને તેઓની સાથે આજે તાજા કરી હતી




Latest News