મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE













વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી

વાંકાનેરના સરતાનપર ગામ નજીક કારખાનામાં રહેતા પરિવારના બાળકો વતનમાં હતા જેથી મહિલાને તેના બાળકો પાસે દિવાળીમાં જવું હતું જો કે, તેના પતિએ થોડા સમય પછી વતનમાં જવાનું કહ્યું હતું તે બાબતે લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની વાંકનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (40) નામના મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની કોમલસિંગ ધુલજીભાઇ વર્મા (43) રહે. હાલ બાફીટ સેનેટરી લેબર ક્વાર્ટરમાં તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના બાળકો વનમાં હતા જેથી કરીને તેને દિવાળીના તહેવારમાં પોતાના વતન જવું હતું પરંતુ તેના પતિએ થોડા સમય બાદ વતનમાં જશું તેવું કહ્યું હતું તે બાબતે મહિલાને મનોમન લાગી આવતા તેણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News