મોરબીમાં બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જવા મુદ્દે બોલાચાલી અને ગાળા ગાળી બાદ હવે સામસામે ફરીયાદ હળવદના સુંદરીભવાની ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રાત્રે 2 વાગ્યે કુહાડી-ધોકા સાથે ઘરમાં ઘૂસીને 6 શખ્સોએ કરી તોડફોડ મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા મોરબીમા જુદી જુદી બે જગ્યાએથી દારૂની સાત બોટલો સાથે બે શખ્સ ઝડપાયા માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત હળવદના સુસવાવ ગામ પાસે નદીના કાંઠેથી અજાણ્યા 1 વર્ષના બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર મોરબીના ઘુટુ ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા


SHARE













મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા

મોરબી જિલ્લામા શિયાળુ પાક લેવા માટેની તૈયારીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રિપેરિંગના નામે કેનાલ બંધ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે ત્યારે જો ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલને બંધ કરવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ જણાવ્યુ છે કે, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાંચ કેનાલ રિપેરિંગના નામે બંધ થવાની છે એવી માહિતી સામે આવી રહી છે પરંતુ જો આ કેનાલ બંધ કરવામા આવશે તો તેના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે અને ખેડૂતોને પારાવાર નુકશાન થશે માટે ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરના સમયે કેનાલને રિપેરિંગના નામે બંધ કરવામાં ન આવે તેવી માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ચોમાસામાં અતિ વરસાદના કારણે ચોમાસું સિઝનમાં ખેડૂતોને નુકસાની થઈ હતી અને જો શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી નહિ મળે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવુ થશે. અને ભાજપના નેતાઓના ઇશારે આ કામ થતું હોય એવું લાગી રહ્યું છે એટ્લે જ તો ખેડૂતોની સમસ્યા નેતાઓને દેખાતી નથી. જો કેનાલ બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતની ટીમ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.






Latest News