મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા


SHARE













મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા

મોરબી જિલ્લામા શિયાળુ પાક લેવા માટેની તૈયારીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રિપેરિંગના નામે કેનાલ બંધ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે ત્યારે જો ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલને બંધ કરવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ જણાવ્યુ છે કે, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાંચ કેનાલ રિપેરિંગના નામે બંધ થવાની છે એવી માહિતી સામે આવી રહી છે પરંતુ જો આ કેનાલ બંધ કરવામા આવશે તો તેના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે અને ખેડૂતોને પારાવાર નુકશાન થશે માટે ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરના સમયે કેનાલને રિપેરિંગના નામે બંધ કરવામાં ન આવે તેવી માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ચોમાસામાં અતિ વરસાદના કારણે ચોમાસું સિઝનમાં ખેડૂતોને નુકસાની થઈ હતી અને જો શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી નહિ મળે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવુ થશે. અને ભાજપના નેતાઓના ઇશારે આ કામ થતું હોય એવું લાગી રહ્યું છે એટ્લે જ તો ખેડૂતોની સમસ્યા નેતાઓને દેખાતી નથી. જો કેનાલ બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતની ટીમ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.




Latest News