મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા
SHARE
મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા
મોરબી જિલ્લામા શિયાળુ પાક લેવા માટેની તૈયારીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રિપેરિંગના નામે કેનાલ બંધ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે ત્યારે જો ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલને બંધ કરવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ ચીમકી ઉચ્ચારી છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ જણાવ્યુ છે કે, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાંચ કેનાલ રિપેરિંગના નામે બંધ થવાની છે એવી માહિતી સામે આવી રહી છે પરંતુ જો આ કેનાલ બંધ કરવામા આવશે તો તેના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે અને ખેડૂતોને પારાવાર નુકશાન થશે માટે ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરના સમયે કેનાલને રિપેરિંગના નામે બંધ કરવામાં ન આવે તેવી માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ચોમાસામાં અતિ વરસાદના કારણે ચોમાસું સિઝનમાં ખેડૂતોને નુકસાની થઈ હતી અને જો શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી નહિ મળે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવુ થશે. અને ભાજપના નેતાઓના ઇશારે આ કામ થતું હોય એવું લાગી રહ્યું છે એટ્લે જ તો ખેડૂતોની સમસ્યા નેતાઓને દેખાતી નથી. જો કેનાલ બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતની ટીમ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.