ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે


SHARE













મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે

મોરબી મહાપાલિકા દ્વારા ચોમાસા પહેલા જુદાજુદા વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને હવે ચોમાસાએ વિદાય લીધેલ છે ત્યારે ફરી પછી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવા માટેની તૈયારીઓ મહાપાલિકા દ્વારા કરી લેવામાં આવેલ છે અને અગાઉ માર્ગ અને મકાન વિભાગમાં આવતા હતા તે 10 માર્ગોને મહાપાલિકામાં સમાવિષ્ટ કરાયેલ છે જેથી તે પૈકી 6 માર્ગોને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટતરીકે જાહેર કરાયેલ છે અને તે પૈકીનાં પંચાસર રોડ અને શનાળા-ખાનપર રોડ પરના દબાણો હટાવવાની કામગીરી માટેની તૈયારીઓ મહાપાલિકાની ટી.પી. શાખા દ્વારા શરૂ કરવામાં આવશે.

મોરબીના પંચાસર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 18 મીટર કરવામાં આવશે. અને આ રોડ ઉપર જે કોઈપણ દબાણ હશે તેને તોડી પાડવામાં આવશે. આવી જ રીતે શનાળા-ખાનપર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 24 મીટર કરવામાં આવશે. આ બંને રસ્તાની પહોળાઈ વધારવાથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટેની ટી.પી. શાખા દ્વારા દબાણો હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત અઠવાડિયામાં ટી.પી. શાખાએ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA)’ હેઠળ કુલ 6 કેસની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 22 ગૃડાના કેસ રેગ્યુલરાઇઝ્ડ થઈ ચૂક્યા છે. તેમજ વિકાસ પરવાનગીની વાત કરીએ તો ટીપી શાખા દ્વારા વધુ 4 ફાઈલો મંજૂર કરવામાં આવી છે. અને આવનારા સમયમાં બાકી રહેલા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે. 






Latest News