મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો
Breaking news
Morbi Today

આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન


SHARE



























આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન

મોરબીમાં જલારામ બાપાની 226 મી જન્મજયંતિ નિમિતે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 29 ને બુધવારના રોજ બપોરે 2:30 કલાકે મોરબીમાં આવેલ શ્રી દરિયાલાલ પ્રભુજીના મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ નહેરુ ગેઈટ ચોક, શાક માર્કેટ, ગાંધીચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, સરદાર બાગ, અયોધ્યા પુરી રોડ થઈને જલારામ મંદિર ખાતે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે.

મોરબીમાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા આજે જલારામ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રાનું શહેરમાં ઠેરઠેર સ્વાગત તેમજ જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે,  બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારોના લાઈવ પર્ફોમન્સ સાથે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવશે. તેમજ શહેરના નગર દરવાજા ચોકમાં અને નવા બસ સ્ટેશન ખાતે આતશબાજી કરાશે. આ શોભાયાત્રામાં નાસિક ઢોલજલારામ બાપાનો રથડી.જેલાઈવ રોટલા પ્રસાદ તેમજ રામ દરબારશિવ દરબાર અને જલારામ બાપા તેમજ વીરબાઈ માઁ નો વેશ ધારણ કરીને બાળકો આવશે તે આકર્ષણનું કેન્દ્ર બનશે.  શોભાયાત્રાને સફળ બનાવવા  માટે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતીની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ શોભાયાત્રામાં તમામ રઘુવંશીઓને જોડાવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.






Latest News