મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા


SHARE







છેલ્લા દિવસોમાં ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ થયો છે જેથી કરીને ખેડૂતોના ઉભા પાકને અને જણસને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે મંત્રીઓ દ્વારા તેઓની મદદ કરવાના નામે ફોટોસેશન કરીને તાયફા કરવામાં આવે છે તેઓ આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મોરબીમાં યોજેલ પત્રકાર પરિષદમાં કર્યો હતો.

મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યારે તેઓની સાથે કોંગ્રેસના આગેવાન મુકુલ વાસનિક અને તુષાર ચૌધરી તેમજ માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરજાદા તથા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે અમિતભાઈ ચાવડાએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓની અંદર ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી સહિતના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

એક બાજુ ગુજરાતના ખેડૂતો લોહીના આંસુએ રડી રહ્યા છે કેમ કે, તેઓનો સંપૂર્ણ ઉભો પાક કમોસમી વરસાદના કારણે બળી ગયો છે અને નુકસાન થયું છે ત્યારે સરકાર કે જે માય બાપ કહેવાય તે તેઓની મદદ કરવાના બદલે તેઓની સ્થિતિ અને પરિસ્થિતિની મજાક ઉડાવતી હોય તેવી પરિસ્થિતિ ગુજરાતમાં છે જેથી ખેડૂતોમાં સરકાર પ્રત્યે આક્રોશની લાગણી છે હાલમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવાની જરૂર છે ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાના બદલે સરકારના મંત્રીઓ દ્વારા ખેડૂતોના ખેતર સુધી જઈને જાણે કે તાયફા કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.

અંતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે, તાજેતરમાં એક વીડિયોની અંદર મગફળીનો પાક પલળી ગયો હતો ત્યાં ગયેલા મંત્રીએ મગફળી ગંધાય છે તેનો અહીંથી નિકાલ કરો તેવું કહ્યું હતું અને બીજી બાજુ બીજા એક મંત્રી હોલ બુટ જેવા ગમ શુઝ પહેરીને જાણે ફોટોસેશન કરાવવા માટે ખેડૂતોના ખેતરે પહોંચ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો આમ ખેડૂતોની પરિસ્થિતિ અને ખેતીની સ્થિતિનો મજાક બનાવનારા મંત્રીઓને જોઈને હવે તો ખેડૂતો પણ કહે છે કે ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી.






Latest News