મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાની બેન્કોમાં પડેલ હકદાવા વિનાના નાણા લોકોને પરત કરવા ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ ખાતે 'તમારી મૂડી, તમારો અધિકાર' અંતર્ગત ખાસ કેમ્પ યોજાશે. જેમાં બેંકો ગ્રાહકોને તેમની અનક્લેમ્ડ એટલે કે દાવા વગરની રકમ મેળવવા માટે મદદ કરશે. મોરબી જિલ્લા સહિત દેશભરની બેંકમાં પડેલ અનકલેમ્ડ રકમ એટલે દાવા વગરનાં પૈસા લોકોને પરત આપવા માટે સરકારે અભિયાન શરૂ કર્યુ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના 'તમારી મુડી તમારો અધિકાર' અભિગમ અંતગર્ત મોરબીમાં જિલ્લાકક્ષાના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બેંક એકાઉન્ટમાં નિયમિત ટ્રાન્ઝેકશન કરવું જરૂરી છે. જો ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેકશન ન થાય તો બેંકમાં પડેલા પૈસા બિનદાવાપાત્ર ગણાય જાય છે. એટલે કે તે બિનવારસી રકમ ગણાય જાય છે. દાવા વગરની રકમમાં કરંટ અને સેવિંગ એકાઉન્ટસ અને ફિકસડ ડિપોઝીટનો સમાવેશ થાય છે. જો કે, આ દાવા વગરનાં પૈસા પણ સંપૂર્ણ રીતે સલામત હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે. સરકાર તેના રક્ષક તરીકે છે અને તેના હકકદાર માલિકને પરત કરવા માટે પ્રતિબધ્ધ છે. જેને લઈને 'તમારી મુડી, તમારા અધિકાર' નામે ત્રણ મહિનાનું ખાસ અભિયાન શરૂ કરવામા આવ્યું છે. જેમાં લોકોને જાગૃત કરવા સાથે તેમના નાણાંનો દાવો કરવામાં મદદ કરાશે.

દેશભરમાં આવી ૧.૮૪ લાખ કરોડ જેટલી રકમ દાવા વગરની પડેલી છે. જયારે મોરબી જિલ્લામાં અલગ-અલગ બેંકોના ૯૨૩૯૬ ખાતાઓમાં રૂ. ૩૨.૨૪ કરોડ જેટલી રકમ દાવા વગરની છે. જેને લઈને ૦૧/૧૧/૨૦૨૫,  શનિવારનાં રોજ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાસ, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે કેમ્પ યોજાશે. જયાં ગ્રાહકોને તેમની અનકલેમ્ડ ડિપોઝિટ, એકાઉન્ટસ તથા ડીઈએએફ (ડિપોઝિટર એજયુકેશન એન્ડ અવરનેસ ફંડ કલેમ) દાવા સબંધિત માહિતી આપીને તેના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી સંબંધિત લોકોએ આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી લીડ બેંક મેનેજર સાકીર છીપાની યાદીમાં જણાવાયું છે.






Latest News