મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે


SHARE









મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાની બેન્કોમાં પડેલ હકદાવા વિનાના નાણા લોકોને પરત કરવા ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ ખાતે 'તમારી મૂડી, તમારો અધિકાર' અંતર્ગત ખાસ કેમ્પ યોજાશે. જેમાં બેંકો ગ્રાહકોને તેમની અનક્લેમ્ડ એટલે કે દાવા વગરની રકમ મેળવવા માટે મદદ કરશે. મોરબી જિલ્લા સહિત દેશભરની બેંકમાં પડેલ અનકલેમ્ડ રકમ એટલે દાવા વગરનાં પૈસા લોકોને પરત આપવા માટે સરકારે અભિયાન શરૂ કર્યુ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના 'તમારી મુડી તમારો અધિકાર' અભિગમ અંતગર્ત મોરબીમાં જિલ્લાકક્ષાના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બેંક એકાઉન્ટમાં નિયમિત ટ્રાન્ઝેકશન કરવું જરૂરી છે. જો ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેકશન ન થાય તો બેંકમાં પડેલા પૈસા બિનદાવાપાત્ર ગણાય જાય છે. એટલે કે તે બિનવારસી રકમ ગણાય જાય છે. દાવા વગરની રકમમાં કરંટ અને સેવિંગ એકાઉન્ટસ અને ફિકસડ ડિપોઝીટનો સમાવેશ થાય છે. જો કે, આ દાવા વગરનાં પૈસા પણ સંપૂર્ણ રીતે સલામત હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે. સરકાર તેના રક્ષક તરીકે છે અને તેના હકકદાર માલિકને પરત કરવા માટે પ્રતિબધ્ધ છે. જેને લઈને 'તમારી મુડી, તમારા અધિકાર' નામે ત્રણ મહિનાનું ખાસ અભિયાન શરૂ કરવામા આવ્યું છે. જેમાં લોકોને જાગૃત કરવા સાથે તેમના નાણાંનો દાવો કરવામાં મદદ કરાશે.

દેશભરમાં આવી ૧.૮૪ લાખ કરોડ જેટલી રકમ દાવા વગરની પડેલી છે. જયારે મોરબી જિલ્લામાં અલગ-અલગ બેંકોના ૯૨૩૯૬ ખાતાઓમાં રૂ. ૩૨.૨૪ કરોડ જેટલી રકમ દાવા વગરની છે. જેને લઈને ૦૧/૧૧/૨૦૨૫,  શનિવારનાં રોજ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાસ, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે કેમ્પ યોજાશે. જયાં ગ્રાહકોને તેમની અનકલેમ્ડ ડિપોઝિટ, એકાઉન્ટસ તથા ડીઈએએફ (ડિપોઝિટર એજયુકેશન એન્ડ અવરનેસ ફંડ કલેમ) દાવા સબંધિત માહિતી આપીને તેના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી સંબંધિત લોકોએ આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી લીડ બેંક મેનેજર સાકીર છીપાની યાદીમાં જણાવાયું છે.






Latest News