મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી


SHARE



























મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી

રાજ્ય સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થઈ ગયા બાદ હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને બે અધિકારીને બઢતી આપવામાં આવી છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી, અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે અને જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને જો મોરબીની વાત કરીએ તો મોરબીના પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમારની બદલી કરીને તેઓને જુનાગઢ ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે ગાંધીનગરથી પ્રવીણસિંહ ડી. જૈતાવતને મોરબીના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર અમદાવાદ (ઓડા) તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે.






Latest News