ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી


SHARE









મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી

રાજ્ય સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થઈ ગયા બાદ હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને બે અધિકારીને બઢતી આપવામાં આવી છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી, અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે અને જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને જો મોરબીની વાત કરીએ તો મોરબીના પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમારની બદલી કરીને તેઓને જુનાગઢ ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે ગાંધીનગરથી પ્રવીણસિંહ ડી. જૈતાવતને મોરબીના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર અમદાવાદ (ઓડા) તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે.






Latest News