તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી


SHARE











મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી

રાજ્ય સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થઈ ગયા બાદ હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને બે અધિકારીને બઢતી આપવામાં આવી છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી, અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે અને જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને જો મોરબીની વાત કરીએ તો મોરબીના પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમારની બદલી કરીને તેઓને જુનાગઢ ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે ગાંધીનગરથી પ્રવીણસિંહ ડી. જૈતાવતને મોરબીના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર અમદાવાદ (ઓડા) તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે.






Latest News