મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની રાજપર ચોકડી પાસે 5 દુકાનો સહિત 18 ગેરકાયદે બાંધકામો તોડી પડતી મહપાલિકા


SHARE













મોરબીની રાજપર ચોકડી પાસે 5 દુકાનો સહિત 18 ગેરકાયદે બાંધકામો તોડી પડતી મહપાલિકા

મોરબીની રાજપર ચોકડીથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર મહાપાલિકાની ટીમ દ્વારા ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું અને પાંચ જેટલી દુકાનો તથા કમ્પાઉન્ડ વોલ મળીને કુલ 18 જેટલી જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે અને જે દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા છે અને આ તકે મહાપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓની ટીમ પણ ત્યાં હાજર રહી હતી.

નવા વર્ષની શરૂઆત થવાની સાથે જ મહાપાલિકાની ટીમ દ્વારા મોરબીના જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાની સાઈડમાં દબાણો થયા છે તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ગઇકાલે મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા રાજપર ચોકડીથી રાજપર ગામ તરફ જવાનો રસ્તો છે તે રોડની બંને બાજુએ થયેલા દબાણ અને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પાંચ જેટલી દુકાનો તથા કમ્પાઉન્ડ વિગેરે મળીને કુલ મળીને 18 જેટલી જગ્યા ઉપર દબાણ હટાવવા માટે તેને કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બે જેસીબી વડે રસ્તાની સાઇડના દબાણ હતા તેને તોડી પાડવા માટેની કામગીરી કરાઈ હતી આ તકે મહાનગરપાલિકાના કમિશનર સ્વપેનિલ ખરે તેમજ ડેપ્યુટી કમિશનર સહિતની ટીમ ત્યાં હાજર રહી હતી અને આગામી સમયમાં હવે રોડ રસ્તાની સાઈડમાં થયેલા તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી શહેરના જુદાજુદા વિસ્તારમાં ચાલુ જ રાખવામાં આવશે તેવી માહિતી મહાનગરપાલિકાના અધિકારી પાસેથી જાણવા મળેલ છે




Latest News