મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ
Breaking news
Morbi Today

હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી


SHARE













હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી

હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી ફેણો, છતરો સહિત કુલ મળીને બે કિલો ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મંદિરના સેવા પૂજા કરતા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (25)એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાં તે સેવા પૂજા કરે છે અને આ મંદિરમાં અલગ અલગ ચાંદીની ફેણો તથા છત્તરો મુકવામાં આવ્યા હતા જેનો અંદાજિત વજન બે કિલો જેટલો હતો તે ચાંદીના ફેણો તથા છતરોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 80,000 ની કિંમત ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News