મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી


SHARE











હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી

હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી ફેણો, છતરો સહિત કુલ મળીને બે કિલો ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મંદિરના સેવા પૂજા કરતા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (25)એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાં તે સેવા પૂજા કરે છે અને આ મંદિરમાં અલગ અલગ ચાંદીની ફેણો તથા છત્તરો મુકવામાં આવ્યા હતા જેનો અંદાજિત વજન બે કિલો જેટલો હતો તે ચાંદીના ફેણો તથા છતરોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 80,000 ની કિંમત ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News