મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના લીલાપુર ગામનો બનાવ: સગાઈ કરવી ન હોવા છતાં પરિવારે કરાવતા ઝેરી દવા પીને યુવાને આયખુ ટુંકાવ્યુ


SHARE













હળવદના લીલાપુર ગામનો બનાવ: સગાઈ કરવી ન હોવા છતાં પરિવારે કરાવતા ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદના લીલાપુર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની સગાઈ થઈ ગઈ હતી જોકે યુવાનને સગાઈ કરવી ન હતી જેથી તેને મનોમન લાગી આવતા યુવાને જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોળી બોરીયાદનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના લીલાપુર ગામે સહદેવભાઈ જાદવની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો રસિકભાઈ ચંદુભાઈ રાઠવા (19) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક યુવાનના માતા વજુબેન ચંદુભાઈ રાઠવા (48) રહે. હાલ લીલાપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની સગાઈ વંકલા ગામે થઈ ગઈ હતી જોકે તેને સગાઈ કરવી ન હતી અને તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.




Latest News