મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોની સુવિધા માટેના અનેક કામો ચાલુ છે, આંદોલન પહેલા પૂરી માહિતી લેવા સિટી ઇજનેરની અપીલ


SHARE













મોરબીમાં લોકોની સુવિધા માટેના અનેક કામો ચાલુ છે, આંદોલન પહેલા પૂરી માહિતી લેવા સિટી ઇજનેરની અપીલ

મોરબી શહેરમાં મહાપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારમાં લોકોની સુવિધામાં વધારો થાય તેના માટેના અનેક કામ કરવામાં આવે છે જો કે, છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા જુદાજુદા પ્રશ્નોને લઈને રોડ ઉપર આવીને આંદોલન કરવામાં આવે છે જેથી લોકોને મહાપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી આપવા માટે અને કોઈપણ આંદોલન કરતાં પહેલા લોકોએ મહાપાલિકામાંથી પૂરી માહિતી મેળવી લેવી જોઇએ તેવી અપીલ મહાપાલિકાના સિટી ઈજનેરે કરી હતી.

મોરબી મહાપાલિકાના સિટી એન્જિનિયર હિતેશભાઈ આદ્રોજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોરબીમાં લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે અનેક પ્રકલ્પો મંજૂર કરવામાં આવેલ છે અને તેના કામ ચાલી રહ્યા છે જો કે, લોકો પાસે પૂરી માહિતી હોતી નથી કે પછી તેઓને આપવામાં આવતી નથી. અને રસ્તા રોકો આંદોલન જેવા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તેના બદલે લોકોએ પહેલા મહાપાલિકામાંથી માહિતી મેળવવી જોઈએ. તાજેતરમાં જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રસ્તા ઉપર કામ ચાલી રહ્યું છે અને અને લોકોએ આંદોલન કરીને જે માંગણી કરી હતી તે કામનો સમાવેશ ટેન્ડરમાં કરવામાં આવ્યો છે. જો કે, ચોમાસાના લીધે કામમાં વિલંબ થયો છે. પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ, ગટર ઉભરાવાની સમસ્યા સહિતના પ્રશ્નો ઉકેલાઈ જાય તે પ્રકારનું કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને ગણતરીના મહિનાઓ જ થયેલ છે અને જો લોકો દ્વારા મહાપાલિકાના કામમાં સહકાર આપવામાં આવશે તો વર્ષો જૂની જેટલી પણ સમસ્યાઓ જે પણ વિસ્તારમાં હશે તેવી આગામી સમયમાં સો ટકા નિકાલ  થઈ જશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મોરબીમાં કુલ મળીને 22 રોડના કામ મંજૂર કરવામાં આવેલ છે જેમાંથી 5 કામ પ્રગતિ હેઠળ છે. અન્ય કામોમાં ટેન્ડર હેઠળ છે. અને કોઈપના વિસ્તારમાં લોકોના જે પ્રશ્ન હોય તે મહાપાલિકા સુધી પહોંચાડવામાં આવશે તો તેનું વહેલમાં વહેલી તકે નિરાકરણ લાવવા માટેના પૂરતા પ્રયત્ન કરવામા આવશે.




Latest News