મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી: અચાનક આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત


SHARE







મોરબી: અચાનક આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત

મોરબીના બેલા ગામ નજીક લેબર ક્વાર્ટરમાં રહેતી સગર્ભા મહિલાને અચાનક આંચકી આવી હતી જેથી તેને તાત્કાલિક મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી નજીકના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર પાસે આવેલી એસ્ટીકા સિરામિક કારખાનાંના કવાર્ટરમાં રહેતા પૂજાબેન ગાલુભાઈ ગાગરાય (22) નામની સગર્ભા પરિણીતાને શુક્રવારે સાંજે અચાનક આચકી ઉપડતા તેને ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નીપજયું હતું. અત્રે ઉલેખનીય છે કે, મરુતક મહિલાને એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તે મહિલા સગર્ભા હતી. જેની સારવાર દરમ્યાન મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News