મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો


SHARE













મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો

મોરબીના રાજપર ગામે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે લોકોને પીવા માટે સપ્લાય કરવામાં આવે છે જોકે, આ પાણી છેલ્લા કેટલાક દિવસોથી દુર્ગંધ વાળું આવતું હતું અને શનિવારે જે પાણી ગામના સંપ સુધી મોકલવામાં આવ્યું તેમાં મૃત માછલાઓ પણ પાણી સાથે આવ્યા હોવાથી આ બાબત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવા સમાન હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ચોમાસાએ હજુ તો વિદાય લીધી છે અને સ્થાનિક જળાશયો પાણીથી છલોછલ ભર્યા છે તેમ છતાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર દૂષિત પાણીની સપ્લાય થતી હોય તેવી રાવ છેલ્લા દિવસોથી ઉઠી રહી છે તેવામાં મોરબી નજીકના રાજપર ગામના સરપંચ ભરતભાઇ પાસેથી જાણવા મળતી વિગતે પ્રમાણે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી તેઓના ગામના સંપમાં નર્મદાની લાઈન મારફતે હરીપર સંપથી પાણી મોકલાવવામાં આવે છે તે પાણી દૂષિત પાણી હોય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગામના લોકો કરતા હતા તેવામાં શનિવારે જે પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું તેમાં પાઇપલાઇન મારફતે મૃત હાલતમાં માછલાઓ રાજપર ગામના સંપ સુધી આવ્યા હતા જેથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા જેવી બાબત સામે આવી હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે ત્યારે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને રાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળે તેવી લાગણી રાજપર ગામના સરપંચ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News