મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત


SHARE

















વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેર નવાપરા પંચાસર રોડ ઉપર રહેતી સોળ વર્ષની સગીરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ ઉપર રહેતા રાજેશભાઈ ડાભીની ૧૬ વર્ષની દીકરી ભૂમિબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ પી.એચ. બોરાણાની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક ભૂમિબેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે લગભગ દોઢેક વર્ષ પહેલા ભૂમિબેનને કરોડરજ્જૂનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં તેના દુખાવાની પીડાના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે

ઝેરી અસર

ટંકારા તાલુકાના ખાનપર ગામની સીમમાં વસતાભાઈ બારૈયાની વાડીરહેતા અને મજૂરી કામ કરતા ઠાકોરભાઈ નવલસિંહ ડામોરના પત્ની સારંગાબેન (ઉંમર ૨૨) ભૂલથી દવાવાળા ગ્લાસની અંદર પાણી ભરીને પાણી પી ગયા હતા જેથી તેઓને ઝેરી અસર થઇ હતી અને ઊલટીઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને તેઓ સાસુ, સસરા સાથે રહે છે




Latest News