મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્કમાં મંદિરમાંથી ૧૫ હજારના મુદામાલની ચોરી


SHARE











ટંકારાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્કમાં મંદિરમાંથી ૧૫ હજારના મુદામાલની ચોરી

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્ક સોસાયટીમાં આવેલ મંદિરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરના તાળા તોડીને મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીનું ઢાંકણું તોડી તસ્કર દ્વારા આશરે ૧૫,૦૦૦ ની રોકડની ચોરી કરવામાં આવેલ છે.જે બનાવની હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા તસ્કર સામે મંદીરમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા નરશીભાઈ અવચરભાઈ બારૈયા (ઉમર ૬૪) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધવી જણાવ્યું હતુ કે, નાના ખીજડીયા ગામે શીતલપાર્ક સોસાયટીમાં બારૈયા પરીવારના સુરાપુરાના મંદિરમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને મંદિરના દરવાજાના તાળા તોડીને મંદિરમાં અપપ્રવેશ કર્યા બાદ મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીનું ઢાંકણું તોડી નાખ્યું હતું અને દાનપેટીમાંથી અંદાજે ૧૨ થી ૧૫ હજાર રૂપિયાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ટંકારા પોલીસે નરશીભાઈ બારૈયાની ફરિયાદ લઈને તેના આધારે ચોરને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા જલારામ રૂપસિંહ કુંવરિયા નામનો ૨૫ વર્ષનો યુવાન તા.૧૪ ના સાંજે ૭:૩૦ વાગ્યે ઘરેથી કામે જતો હતો ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર શ્રીનાથ કાંઠા પાસે તેના બાઈકની આડે કુતરૂ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજાઓ થતાં જલારામ કુંવરિયાને સારવારમાં આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ શુભલક્ષ્મી પેકેજીંગના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતી પુનમબેન જલાલજી પરમાર નામની વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં આયુષમાં ખસેડવામાં આવ્યા હતા પૂનમબેનને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધા હોવાનો પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે.






Latest News