મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ


SHARE













મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ મેડિકલ કોલેજની સામેના ભાગમાંથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેની ઓળખ મેળવવા માટે થઈને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવી હાથ ધરવામાં આવી છે.

મોરબી શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન પાસે મેડિકલ કોલેજની સામેના ભાગમાં કોઈ અજાણ્યા 40થી 45 વર્ષના અજાણ્યો યુવાન મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હતો જેથી તેના મૃતદેહને ત્યાંથી મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા કાશીબેન કાળુભાઈ કંઝારીયા (76) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાપાજી ફન વર્લ્ડ પાસે બાઈકમાંથી તે પડી ગયા હતા જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબીના જેલ રોડ ઉપર રહેતા રાજેશભાઈ શાંતિલાલ ચૌહાણ (47) નામનો યુવાન લીલપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરદારનગરમાં રહેતા રમાબેન અશોકભાઈ (60) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈકમાંથી પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેની સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News