વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા


SHARE



























મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા

મોરબીના ભડીયાદ રોડ ઉપર કરવામાં આવેલા નાના-મોટા, કાચા પાકા દબાણો તોડી પાડવા માટે આજે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બે જેસીબી વડે કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિત નાના મોટા કુલ મળીને 100 જેટલા ગેરકાયદે બાંધકામોને આજે મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે

મોરબી મહાપાલિકા બન્યા બાદ મોરબીના રોડ રસ્તા પહોળા થાય અને રોડ રસ્તાની સાઈડમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા દબાણ દૂર થાય તેના માટેની કામગીરી કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે અને જુદા જુદા વિસ્તારોની અંદર અવારનવાર દબાણ તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીના ભડીયાદ રોડ ઉપર ડીલેશનની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે એકી સાથે બે જેસીબીને કામે લગાડવામાં આવ્યા હતા.

હાલમાં મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિચ નાના મોટા કુલ મળી ને 100 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડવાનું કામ શરૂ કર્યુ છે અને આજે સાંજ સુધી આ કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર સંજય સોની પાસેથી મળેલ છે.

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે શહેરના રોડ રસ્તાની આસપાસમાં અને વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા સહિતની જગ્યા ઉપર છેલ્લા વર્ષોમાં ઘણા બધા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે  અને તે બાંધકામો તોડવા માટેની કામગીરી ચાલી રહી છે સાથો સાથ બીજી બાજુ લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને હાલમાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે અને ભડીયાદ રોડને પહોળા બનાવવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકોને સારામાં સારા રોડની સુવિધા મળે તે માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.


















Latest News