મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા


SHARE













મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા

મોરબીના ભડીયાદ રોડ ઉપર કરવામાં આવેલા નાના-મોટા, કાચા પાકા દબાણો તોડી પાડવા માટે આજે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બે જેસીબી વડે કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિત નાના મોટા કુલ મળીને 100 જેટલા ગેરકાયદે બાંધકામોને આજે મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે

મોરબી મહાપાલિકા બન્યા બાદ મોરબીના રોડ રસ્તા પહોળા થાય અને રોડ રસ્તાની સાઈડમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા દબાણ દૂર થાય તેના માટેની કામગીરી કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે અને જુદા જુદા વિસ્તારોની અંદર અવારનવાર દબાણ તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીના ભડીયાદ રોડ ઉપર ડીલેશનની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે એકી સાથે બે જેસીબીને કામે લગાડવામાં આવ્યા હતા.

હાલમાં મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિચ નાના મોટા કુલ મળી ને 100 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડવાનું કામ શરૂ કર્યુ છે અને આજે સાંજ સુધી આ કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર સંજય સોની પાસેથી મળેલ છે.

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે શહેરના રોડ રસ્તાની આસપાસમાં અને વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા સહિતની જગ્યા ઉપર છેલ્લા વર્ષોમાં ઘણા બધા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે  અને તે બાંધકામો તોડવા માટેની કામગીરી ચાલી રહી છે સાથો સાથ બીજી બાજુ લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને હાલમાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે અને ભડીયાદ રોડને પહોળા બનાવવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકોને સારામાં સારા રોડની સુવિધા મળે તે માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News