વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ


SHARE



























મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ

મોરબી સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક અને કેળવણીકાર સમગ્ર સમાજના સહયોગી એવા સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવીના નામે રોડ અગર તો ચોકનું નામ રાખવાની ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવેલ છે. અને તેના માટેની મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવેલ છે.

મોરબીની સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક તથા મોરબીની ઘણી આવી સામાજીક સંસ્થા સાથે જોડાયેલા અને સર્વે સમાજના લોક પ્રિય એવા સ્વ. છબીલભાઈ એમ. સંવી કે જેઓએ મોરબીમાં શિક્ષણની જયોત જગાવેલ હતી અને મોરબી તાલુકામાં હાઈસ્કૂલ ન હતી ત્યારે છબીલભાઈ સંધવીએ સર્વોદય એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી અને મોરબીમાં શ્રીમતી એમ. પી. શેઠ ગલ્સ હાઈસ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, લો કોલેજ, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના કરેલ હતી અને મોરબીના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય તેવી કાળજી લીધી હતી. આ આટલું જ નહીં તેઓ સમગ્ર જ્ઞાતિને સાથે રાખી સમાજ ઉપયોગી સામાજિક કાર્ય કરતા હતા અને મોરબીની પ્રજાના હિતને ધ્યાનમાં રાખતા હતા. જેથી તેઓની સમાજ ઉપયોગી સેવા અને શિક્ષણપ્રેમને ધ્યાને લઈને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવીના નામે મોરબીમાં કોઈ રોડનું અથવા તો ચોકનું નામકરણ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. જેના માટે સંસથા દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવેલ છે. જેમાં નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ભડીયાદ સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવી રોડ, નઝરબાગ પોસ્ટ ઓફીસ પાસેના ચોકને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી ચોક, દરબારગઢથી ગ્રીન ચોક સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી રોડ, રવાપર રોડ સર્કલને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી સર્કલ અને વીસી ફાટકથી રેલ્વે સ્ટેશન સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી રોડ નામ આપવામાં આવે તેવી માંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.


















Latest News