મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ


SHARE













મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ

મોરબી સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક અને કેળવણીકાર સમગ્ર સમાજના સહયોગી એવા સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવીના નામે રોડ અગર તો ચોકનું નામ રાખવાની ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવેલ છે. અને તેના માટેની મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવેલ છે.

મોરબીની સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક તથા મોરબીની ઘણી આવી સામાજીક સંસ્થા સાથે જોડાયેલા અને સર્વે સમાજના લોક પ્રિય એવા સ્વ. છબીલભાઈ એમ. સંવી કે જેઓએ મોરબીમાં શિક્ષણની જયોત જગાવેલ હતી અને મોરબી તાલુકામાં હાઈસ્કૂલ ન હતી ત્યારે છબીલભાઈ સંધવીએ સર્વોદય એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી અને મોરબીમાં શ્રીમતી એમ. પી. શેઠ ગલ્સ હાઈસ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, લો કોલેજ, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના કરેલ હતી અને મોરબીના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય તેવી કાળજી લીધી હતી. આ આટલું જ નહીં તેઓ સમગ્ર જ્ઞાતિને સાથે રાખી સમાજ ઉપયોગી સામાજિક કાર્ય કરતા હતા અને મોરબીની પ્રજાના હિતને ધ્યાનમાં રાખતા હતા. જેથી તેઓની સમાજ ઉપયોગી સેવા અને શિક્ષણપ્રેમને ધ્યાને લઈને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવીના નામે મોરબીમાં કોઈ રોડનું અથવા તો ચોકનું નામકરણ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. જેના માટે સંસથા દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવેલ છે. જેમાં નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ભડીયાદ સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવી રોડ, નઝરબાગ પોસ્ટ ઓફીસ પાસેના ચોકને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી ચોક, દરબારગઢથી ગ્રીન ચોક સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી રોડ, રવાપર રોડ સર્કલને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી સર્કલ અને વીસી ફાટકથી રેલ્વે સ્ટેશન સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી રોડ નામ આપવામાં આવે તેવી માંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.






Latest News