મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા


SHARE











મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા

મોરબીના ભડીયાદ રોડ ઉપર કરવામાં આવેલા નાના-મોટા, કાચા પાકા દબાણો તોડી પાડવા માટે આજે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બે જેસીબી વડે કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિત નાના મોટા કુલ મળીને 100 જેટલા ગેરકાયદે બાંધકામોને આજે મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે

મોરબી મહાપાલિકા બન્યા બાદ મોરબીના રોડ રસ્તા પહોળા થાય અને રોડ રસ્તાની સાઈડમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા દબાણ દૂર થાય તેના માટેની કામગીરી કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે અને જુદા જુદા વિસ્તારોની અંદર અવારનવાર દબાણ તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીના ભડીયાદ રોડ ઉપર ડીલેશનની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે એકી સાથે બે જેસીબીને કામે લગાડવામાં આવ્યા હતા.

હાલમાં મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિચ નાના મોટા કુલ મળી ને 100 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડવાનું કામ શરૂ કર્યુ છે અને આજે સાંજ સુધી આ કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર સંજય સોની પાસેથી મળેલ છે.

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે શહેરના રોડ રસ્તાની આસપાસમાં અને વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા સહિતની જગ્યા ઉપર છેલ્લા વર્ષોમાં ઘણા બધા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે  અને તે બાંધકામો તોડવા માટેની કામગીરી ચાલી રહી છે સાથો સાથ બીજી બાજુ લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને હાલમાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે અને ભડીયાદ રોડને પહોળા બનાવવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકોને સારામાં સારા રોડની સુવિધા મળે તે માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News