તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધો. 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટના ડો. ધવલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં ધો. 12 ના વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને CA, CS, LLB, MBA અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ વિશેની માહિતી, તેમજ ભારતની શ્રેષ્ઠ મેનેજમેંટ કોલેજ IIM માં ધો. 12 પછી પ્રવેશ મેળવવા IPMAT અને JIPMAT પ્રવેશ પરીક્ષા વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યના ઉજ્જવલ ક્ષેત્રો એઆઇ, ડિજિટલ માર્કેટિંગ અને ડેટા એનાલિસીસ વગેરે વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા. આ સેમિનારથી કોમર્સના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો અને અંતમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતભાઈ વડસોલાએ ડો. ધવલ વ્યાસને મોમેન્ટો અર્પણ કર્યો હતો અને કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી તથા જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News