વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE



























મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધો. 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટના ડો. ધવલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં ધો. 12 ના વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને CA, CS, LLB, MBA અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ વિશેની માહિતી, તેમજ ભારતની શ્રેષ્ઠ મેનેજમેંટ કોલેજ IIM માં ધો. 12 પછી પ્રવેશ મેળવવા IPMAT અને JIPMAT પ્રવેશ પરીક્ષા વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યના ઉજ્જવલ ક્ષેત્રો એઆઇ, ડિજિટલ માર્કેટિંગ અને ડેટા એનાલિસીસ વગેરે વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા. આ સેમિનારથી કોમર્સના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો અને અંતમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતભાઈ વડસોલાએ ડો. ધવલ વ્યાસને મોમેન્ટો અર્પણ કર્યો હતો અને કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી તથા જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


















Latest News